Abtak Media Google News

કાર્યક્રમમાં જ્ઞાતિ રત્નો એસ.એન.ચૌહાણ તથા રાજુભાઇ જેઠવા ઉ૫સ્થિત રહેશે

મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ્ર દ્વારા આગામી રવિવારે સવારે ૧૦ કલાકે મોચી મંદીર વાડી ખાતે જ્ઞાતિના આર્થિક રીતે નબળા કુટુંબના વિધવા બહેનો, નિરાધાર ભાઇઓ તથા ધો. ૧ થી ૧રમાં ચાલુ વર્ષમાં પાસ થયેલા ગ્રાન્ટેડ શાળાના વિઘાર્થીઓને રોકડ પુરસ્કાર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વધુ વિગત આપવા ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ, મંત્રી મગનભાઇ પઢીયાર, ઉપપ્રમુખ હરીભાઇ, જગદીશભાઇ વાળા, ખજાનચી સુરેશભાઇ ચૌહાણ અને ટ્રસ્ટી નાથાભાઇ વાળા અબતકની શુભેચ્છા મુાલાકતે આવ્યા હતા.

તેઓએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે સમારંભના અઘ્યક્ષ સ્થાને જ્ઞાતિ રત્નો એસ.એન. ચૌહાણ અને રાજુભાઇ જેઠવા ઉપસ્થિત રહેશે. સમારંભનું દિપ પ્રાગટયથી ઉદધાટન ટ્રસ્ટ પ્રમુખ નટવરલાલ ચૌહાણ અને ટ્રસ્ટીઓ કરશે. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભાર દર્શન ખજાનચી સુરેશભાઇ ચૌહાણ સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.