Abtak Media Google News

મે માસનો બીજો રવિવાર સમગ્ર વિશ્વ ‘મધર્સ-ડે’ તરીકે ઉજવે છે

મે માસના બીજા રવિવારના દિવસને સમગ્ર વિશ્વ ” મધસે ડે” તરીકે ઉજવે છે. ખરેખર તો દરેક દિવસ અને પ્રત્યેક ક્ષણ ઉપકારી માતા માટે જ હોવી જોઈએ.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન દશેન અણમોલ છે.આગમકાર ભગવંતોએ એટલું વિપુલ સાહિત્ય આપેલું છે કે કોઈપણ પ્રસંગ કે ઘટના આગમના માધ્યમથી ઉજાગર કરી શકાય છે.ચિલ્ડ્રન્સ ડે  આવે ત્યારે નાના બાલૂડા અયવંતાની યશોગાથા વણેવાય. મધસે ડે આવે છે તો ચાલો પ્રસ્તુત વિષય ઉપર ચિંતન કરીએ.

‘મા’ અને તેના ઉપકારો વિશે અનેક વિદ્ગાન ચિંતકો, લેખકો, સાહિત્યકારો, કવિઓ સહિત અનેક  લોકોએ દુહા, છંદ, કાવ્ય અને લેખો દ્રારા મમતાળુ મા નો અનેરો મહિમા વણેવ્યો છે.કવિ દુલા કાગ કહે છે…

” ભક્તિ થકી તો ભજતા

માહેશ્વર આવી મળે,

ન મળે એક જ મા,

કોઈ ઉપાયે કાગડા “.

એમ કહેવાય છે કે *” મા ” નો અથે દુનિયાની બધી જ ભાષાઓમાં ” મા ” જ થાય છે. માત્ર મનુષ્ય જાતિમા જ નહીં પરંતુ દરેક જીવો માટે મા નો ફાળો અમૂલ્ય છે. ચીં…ચીં…કરતી ચકલીઓ પોતાની ચાંચ વડે પોતાના બચ્ચાના મુખમાં દાણા મૂકતું દ્ગશ્ય કેવું અદભૂત હોય છે.પોતાના વાછરડાને ઘડીભર ન જોતી વ્યાકુળતા અનુભવતી ગાયનો પ્રેમ કેવો અજોડ હોય છે.

“કવિ બાલમુક્ધદ દવેએ પણ આ જ વાત કરી કે ” ઈશ્વર બધે પહોંચી શકતો નહીં હોય તેથી તેણે માતાનું સજેન કર્યુ હશે.

જૈનાગમ ઠાણાંગ સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યું કે જગતમાં ત્રણનો ઉપકાર કદી વાળી શકાતો નથી તેમાં જન્મદાત્રી માતાને પ્રથમ સ્થાન આપેલું છે. મધસે ડે હોય અને માતા ત્રિશલાના ઉપકારને કેમ વિસરી શકાય ? તારક તીથઁકર ત્રિલોકીનાથ પ્રભુ મહાવીરને પોતાની કૂખે જન્મ દેનારી રત્નકુક્ષિણી ત્રિશલા માતાનો ઉપકાર જિન શાસન ઉપર અનંતો છે.”ત્રિશલા માતા એટલે વાત્સલ્યની મૂર્તી પોતાના ગભેમાં રહેલા બાળકનું હલન – ચલન થોડી વાર માટે સ્થિર થતાં જ માતા ત્રિશલા ચિંતીત બને છે  કે મારા બાળકને કાંઈ થયું તો નહીં હોય ને ? પ્રભુ મહાવીરની પ્રથમ માતા દેવાનંદા મોક્ષમાં બીરાજમાન છે.દેવાનંદા જયારે પ્રભુના દશેન કરવા જાય છે ત્યારે પ્રભુ મહાવીરને નિહાળતા જ સાડા ત્રણ કરોડ રોમરાય રોમાંચિત અને પ્રફુલ્લિત થઈ જાય છે.

અનિમેષ દ્રષ્ટિથી મહાવીરને જોયા જ કરે છે.ગૌતમ ગણધર પ્રભુને પુછે છે કે હે પ્રભો ! આ કોણ છે ? ખુદ તીથઁકર પરમાત્મા કહે છે કે  દેવાનંદા માહણી મમં અમ્મગા… (ભગવતી સૂત્ર શતક ૯, ઉ.૩૩) હે ગૌતમ! આ દેવનંદા મારી માતા છે. આગમકાર ભગવંત કહે છે કે માતા ત્રિશલા બારમા દેવલોકે બીરાજમાન છે. ગભેથી લઈને પોતે જીવે ત્યાં સુધી પોતાના બાળકોની ખેવના કરે તેને મા કહેવાય .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.