Abtak Media Google News

મોરબી સીરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને મારબોમેક્સ અને ઓએસીસી સીરામીક કંપનીના માલિક સુખદેવ પટેલ પર જીવલેણ હુમલો થવાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઇ છે. હાલ ઇજાગ્રસ્ત સુખદેવ પટેલને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે.માહિતી મુજબ સિરામિક એસોના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સુખદેવભાઈ લાલજીભાઈ પટેલ આજે તેની માર્બોમેક્સ નામની ફેક્ટરીએ હોય ત્યારે ચાર ઈસમો ફેક્ટરીમાં આવ્યા હતા અને લોખંડના પાઈપ વડે કારખાનેદારને માર મારતા ઈજાગ્રસ્તને શહેરની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

તો સીરમિકા એસોના પૂર્વ પ્રમુખ પર થયેલા હિચકારા હુમલાને પગલે અગ્રણી ઉદ્યોગપતિ હોસ્પિટલ દોડી ગયા હતા અને સુખદેવભાઈ ના ખબર અંતર પૂછ્યા હતા તેમજ બનાવથી ઉદ્યોગપતિઓમાં રોષ જોવા મળ્યો હતો આ મામલે જીલ્લા કલેકટર અને એસપીને રજૂઆત કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી તેમજ જાંબુડિયા પાસે હુમલો કરનાર ઇસમોએ દબાણો કર્યા હોય જે મામલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે તો દબાણો તોડવા પણ ઉદ્યોગકારોએ તંત્રને રજૂઆત કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.