Abtak Media Google News

ગાયના છાણા, રાય-મીઠું, ગુગળ-કપુર, કડવો લીમડો, ધતુરપત્રનો ધુપ મન, શરીર, આત્મા અને વાતાવરણને શુઘ્ધ કરે છે

કોરોનાથી બચવા માટે સવાર-સાંજ યજ્ઞરૂપી ધુપ આખા ઘરમાં અને ઓફિસમાં કરવો અને નાક અને મોં વાટે પીવો આ અકસીર ઉપાય છે. આ ધૂપમાં ગાયના છાણા, રાઈ-મીઠુ, ગુગળ-કપુર, કડવો લીમડો અને ધતુરપત્ર બધુ મિકસ કરી તેમાં થોડુ ગાયનું ઘી નાખી યજ્ઞરૂપી કૂપ કરવો. આ ધૂપ મન, શરીર, આત્મા અને વાતાવરણની શુદ્ધિ કરે છે.

ઉપરોકત બધી સામગ્રી મિકસ કરી ધીમે ધીમે ધૂપ વધતો જાય તેમ સ્મોકની જેમ નાક અને મોં વાટે પીવાનો, ઘરના બધા અંદરના દરવાજા ખુલ્લા રાખવા, મુખ્ય દરવાજો અને બારી બધી બંધ કરી દેવી. એન્ટી વાયરલ આયુર્વેદિક ધુપ કરવાની સરળ રીતે આ મુજબ છે. કોઈપણ વાસણમાં (તાંબાનું વાસણ હોય તો ઉતમ) ગાયના છાણા મુકવા ત્યારબાદ અગ્નિ માટે જરૂર મુજબ ઘી નાખવું.

દેવતા થઈ ગયા બાદ ગુગળ, કપુર, રાઈ, મીઠુ, લીલો લીમડો અને લીલો ધતુરપત્ર (મળે તો) નાખવા. ત્યારબાદ તે ધુમાડો નાક અને મોઢા વાટે આખા પરીવારે ઉંડા શ્ર્વાસ લઈ પીવો ખુબ હિતાવત છે. ધૂપ સમયે ઘરની બારીઓ બંધ રાખવી. પંખા, એસી બંધ રાખવા. નાક-મોઢામાં બળે તો ગાયનું ઘી લગાડવું, ચિંતા ન કરવી. આંખમાંથી પાણી આવે તો ચિંતા ના કરવી જરૂર લાગે તો ચશ્મા પહેરવા. ૨૦ મિનિટ આ મુજબ ધુપ કરવો.

આ મુજબનો ધુપ ઘર-ફલેટ સોસાયટી, શેરીમાં, દરેક વોર્ડમાં કરવાથી વાતાવરણમાં રહેલી કોરોના વાયરસના જંતુઓનો નાશ થઈ શકવાની પુરી શકયતા છે. સવાર-સાંજ આ પ્રમાણે ધુપ કરવાથી મન, શરીર અને વાતાવરણની પણ શુઘ્ધી અવશ્ય થશે. વધુ વિગત માટે ડો.સંજય જીવરાજાની (મો.નં.૯૮૯૮૦ ૪૫૫૪૨) અથવા ડો.અમી જીવરાજાની (મો.નં.૯૮૨૮૨ ૯૩૯૭૩) પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.