Abtak Media Google News

બાલભવન ખાતે બાલમહોત્સવમાં સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મુખ્યમહેમાનપદે યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગના વાઘેલાએ વેશભૂષા સ્પર્ધાનું દીપપ્રાગટય કરીને ઉદઘાટન કરેલ તેમજ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચેતસભાઈ ઓઝા, હિનાબેન આડેસરાએ સેવા આપેલ જેમાં ૧૪૫ જેટલા બાળકોએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ નંબરે ફાતેમા એચ. હિરાણી બીજા નંબરે દર્પણ જે. કાચા, ત્રીજા નંબરે રૂત્વા સી. અકબરી ચોથા નંબરે રાજ પી. વસોયા, પાંચમા નંબરે માન્યતા એ. પરમાર, વિજેતા બનેલ વિજેતા બાળકોને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદી તેમજ મુખ્ય મહેમાનો તથા નિર્ણાયકો હસ્તે મેડલ, શીલ્ડ ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.