Abtak Media Google News

વાતાવરણમાં ગરમી પ્રસરતા સ્વાઈન ફલુએ પોતાનું કહેર યથાવતા રાખ્યો હોય તેમ પોરબંદરનાં વૃધ્ધ અને જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ સીઝનલફલુમાં ચાલુ વર્ષે કુલ ૮૪ દર્દીઓનાં મોત નિપજયા છે. જયારે ૩૫૨ પોઝીટીવ કેસ નોંધાયા છે.સ્વાઈન ફલુમાં વધઉ બે દર્દીઓનાં મોત નીપજતા મૃત્યુઆંક ૮૪ સુધી પહોચી રહ્યો છે. જયારે ગઈકાલે વધુ ત્રણ કેસ પોઝીટીવ નોંધાયા છે.

પોરબંદરના ૬૦ વર્ષિય વૃધ્ધનું અને જૂનાગઢના વિસાવદરના ૩૦ વર્ષિય મહિલાનું શહેરની સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયા હતા. જયારે રાજકોટના જ ૬૮ વર્ષિય વૃધ્ધ ૭૦ વર્ષિય વૃધ્ધા અને ૬૫ વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે સ્વાઈન ફલુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં ચાલુ વર્ષે કુલ ૩૫૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ૩૭ દર્દીઓ સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.