Abtak Media Google News

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય હોય જેની બસના ડ્રાઈવરે ટીનુંભાના ભત્રીજા જયરાજસિંહ સાથે રૂપિયાની લેતીદેતી હોય જે મામલે ટીનુંભાએ ભત્રીજા જયરાજસિંહને ઠપકો આપ્યો હોય ગઈકાલે સાંજે બનેલા બનાવ બાદ આજે વહેલી સવારે સમાધાન માટે ટીનુંભા જાડેજા તેમજ ભત્રીજો જયરાજસિંહ સહિતના એકત્ર થયા હતા જોકે કોઈ કારણોસર સમાધાન થયું ના હતું અને મામલો બીચકયો હોય જેમાં ભત્રીજા જયરાજસિંહે તેના કાકા ટીનુંભાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈને હત્યા કરી છે તે ઉપરાંત બે રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવ્યુ હતું.

ટ્રાવેલ્સ સંચાલક ટીનુંભાની હત્યા કરી દેવામાં આવી હોય તે ઉપરાંત અન્ય વિમલ હર્ષદગીરી અને અર્જુન દિગ્વિજય ઝાલા એ બંનેને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે હત્યાના બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને વહેલી સવારે હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.