Abtak Media Google News

વધુ તપાસ અર્થે મૃતદેહને રાજકોટ ફોરેન્સીકમાં મોકલવાની તજવીજ

મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હાલ પોલીસે કેદીના મૃતદેહને રાજકોટ ફોરેન્સ્ટિકમાં મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ દારૂના કેસમાં ગત તા.૩ થી મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલા આશિષ પ્રવીણભાઈ સોનીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને દારૂના કેસ માજ સબ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો. કેદીનું મોત ગત રાત્રીએ ૨ વાગ્યા થી વહેલી સવારના અરસામાં થયું હોવાની વિગતો મળી છે.

કેદીનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું પ્રાથમિક તાપસમાં બહાર આવ્યું છે. ત્યારે વધુ તપાસ અર્થે કેદીના મૃતદેહને રાજકોટ ફોરેન્સિકમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.