Abtak Media Google News

આઈ.એમ.એ.મોરબીનું આયોજન : વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશેષ માર્ગદર્શન અપાશે

આઈ.એમ.એ મોરબી દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ બી હોય અને નીટની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે આગામી તા.૧૮ ને શુક્રવારના રોજ એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી આઈ.એમ.એ દ્વારા તા ૧૮ને શુકવાર ના રોજ રાત્રે ૯ .૦૦ વાગે આઈ.એમ.એ હોલ ,નિલકંઠ વિદ્યાલય સામે, રવપાર રોડ , મોરબી ખાતે ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ બી માં અભ્યાસ કરતા અને નીટની પરીક્ષા આપેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ની:શુલ્ક સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડો કેતન હિડૉચા નીટ પર મેડીકલ ડેન્ટલ ૨૦૧૮ એડમિશન નું ઓનલાઇન રજિસ્ટ્રેશન, ફી,સીટસ પાત્રતા તથા અન્ય માહિતી તથા એડમિશન ને લગતા બીજા પ્રશ્નો વિષે માહિતી આપશે.

આ સેમિનારનો ભાગ લેવા વિદ્યાર્થીઓ તથા વાલીઓને આઈ.એમ.એ મોરબી બ્રાંચ પ્રેસિડેન્ટ ડૉ. સુનિલ અખાણી અને સેક્રેટરી ડૉ. જે. એલ. દેલવાડીઆએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે ફોન નં.૦૨૮૨૨ ૨૩૨૨૫૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.