Abtak Media Google News

ગુજરાતના માલધારી સમાજને વિશિષ્ટ પેકેજ આપવા તેમજ અગાઉના વણઉકેલ્યા પ્રશ્નો અંગે માલધારી અને કોંગ્રેસ અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ સીએમને પત્ર લખી જણાવ્યું છે કે ભારે વરસાદથી ખેતીના પાકને નુકશાન થયું છે જેથી સરકારે ૩૭ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે જેને આવકારીએ છીએ પરંતુ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહીને પશુપાલન કરતા માલધારીઓ પણ કોરોના તેમજ ભારે વરસાદને પગલે પરેશાન છે વીજળી પડતા અને પાણીમાં તણાઈ જવાથી પશુધનના મોત થયા છે પશુઓમાં અનેક સ્થળે ગંભીર રોગો થઇ રહ્યા છે જેથી માલધારી સમાજને રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ

હાલ ખોળ, કપાસિયા, અને ઘાસચારાના ભાવો આસમાને છે જેથી સરકરે વિશિષ્ટ પેકેજ આ પશુપાલક માલધારીઓના હિતમાં જાહેર કરવું જોઈએ ઉપરાંત પશુપાલકોની ચરિયાણની જમીન જેવી કે ગૌચર, ખરાબો પર ગેરકાયદેસર દબાણો દુર કરવા માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.