Abtak Media Google News

અમરેલીમાં આપઘાત કરી લેનાર યુવાનની સગર્ભા પત્ની પર આભ તૂટયું

મોરબી જિલ્લામાં ઝેરી દવા ગટગટાવી લેવાના બે કિસ્સામાં એક સગર્ભાનું મોત નિપજયું છે તો બીજા કિસ્સામાં પતિએ ઝેર ગટગટાવી લેતા સગર્ભા પત્ની બેસહારા બની છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે રહેતા રંજનબેન મહેશભાઈ સાકરીયા નામની પરણીતાંએ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું, મૃતક રંજનબેનને દોઢ માસનો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જ્યારે બીજા બનાવમાં મોરબીના અમરેલી ગામે રહેતા અને ખેત મજૂરી કરતા કાળુંભાઈ ભરતભાઈ ઠાકોર નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો અને તેમના પત્નીને સાત માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે પતિના મોતને કારણે સગર્ભા પત્ની નિ:સહાય બન્યા છે. આપઘાતના બન્ને ગુન્હાઓ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.