Abtak Media Google News

મામલતદાર કચેરીમાં ૭-૧૨, ૮-અ સહિતની કામગીરી શરૂ

સરકાર દ્વારા અનલોક-૧માં વધુ છૂટછાટ આપીને જનજીવન સામાન્ય બને અને તમામ કામકાજો પૂર્વવર્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જેને પગલે મોરબીની સરકારી કચેરીઓ આજથી તમામ કામકાજ પૂર્વવર્ત થયું છે. તમામ કચેરીઓમાં આજથી તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેથી, અરજદારોનો સરકારી કચેરીઓમાં ચહલ પહલ વધી છે.

મોરબીની તમામ સરકારી કચેરીઓ ગઇકાલથી ધમધમવા લાગી છે. મામલતદાર કચેરીમાં પુન:કામગીરી શરૂ કરવામાં આવી છે. મામલતદાર કચેરીમાં ગઇકાલથી ૭-૧૨-૮ સહિતની કામગીરી ચાલુ થઈ છે. તેમજ પુરવઠાની અરજીઓ સ્વીકારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે મામલતદાર કચેરીની પુરવઠા તેમજ અન્ય સંબધિત કામગીરી ગુરુવારે શરૂ થશે. અરજદારોએ માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ રાખીને ૭-૧૨ સહિતની કામગીરી કરાવી રહ્યા છે. કચેરીમાં ભીડ ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આ રીતે હવે સરકારી કચેરીઓ ધમધમી ઉઠી છે અને વહીવટી કામગીરી પુન: શરૂ થતાં લોકોને રાહત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.