Abtak Media Google News

ગેસ સપ્લાય પૂર્વવત બનાવવા સિરામિક ઉદ્યોગકારોની માંગ

છેલ્લા વીસેક દિવસથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને અપાતા નેચરલ ગેસનો પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની સમસ્યા ઉકેલવા ગુજરાત ગેસ કંપની દ્વારા  તા.૧૮ થી ૨૦ ટકા કાંપ મુકવા નિર્ણય કર્યો છે, જો કે હાલમાં નવી પાઇપલાઇનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોય એ કામચલાઉ કાંપની મુદત નક્કી કરવામાં આવી નથી.

ગુજરાત ગેસ કંપની દ્વારા તમામ સિરામિક એકમોને પાઇપલાઇન મારફતે અપાતા નેચરલ ગેસના પુરવઠામાં ૨૦ ટકા કાપ મુકવા આજે સતાવાર રીતે જાહેરાત કરી છે અને આ કાપ આવતીકાલે એટલે કે ૧૮ એપ્રિલથી અમલમાં મુકાશે, ગેસ કંપની દ્વારા તમામ યુનિટોને લેખિત જાણ કરી ઉઈચ તથા ખઉઈચ માં ઘટાડો કરવા જણાવ્યું છે. જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એપ્રિલ ૨૦૧૯તથા મે ૨૦૧૯ના સમયગાળા દરમ્યાન ખૠઘ ઉઈચથી ઓછો વપરાશ કરનાર ગ્રાહકોને કોઈપણ જાતનો ખૠઘનો ચાર્જ લગાડવામાં આવશે નહીં તેમ જણાવાયું છે.વધુમાં ઔધોગિક એકમો કે જેમના વાલ્વ ખુલ્લા છે અને નિયમિત ગેસ વપરાશ કરે છે તેમના છેલ્લા એક મહિનાની (૧૬ માર્ચથી ૧૫ એપ્રિલ ૨૦૧૯) સરેરાશ વપરાશને ધ્યાનમાં રાખતા ૨૦% નો કાપ ગેસ વપરાશમાં મૂકવામાં આવશે. પરિસ્થિતિ માં સુધારો થયે આ ૨૦%માં ક્રમશ: ઘટાડો કરવામાં આવશે.

તેમ જણાવી તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે અને બીજી સૂચના ના મળે ત્યાં સુધી આપના એકમની ઉઈચ તથા ખઉઈચ, જઈખઉ રહેશે. (૨૦ ટકા કાપ સાથે). આ નિર્ણય મોરબી વિસ્તારના તમામ ગ્રાહકોને ગેસનો પુરવઠો મળી રહે તે ધ્યાનમાં રાખતા કરવામાં આવેલ હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.જે કંપની એક થી વધારે એકમો ધરાવે છે. તેવા એકમો તેમના ગેસ વપરાશ માટે આંતરિક ગોઠવણ કરી શકે છે આવી કંપનીઑને આના માટે તાત્કાલિક ગુજરાત ગેસને લેખિતમાં જાણ કરવાની રહેશે. જો કોઈપણ એકમો ઉઈચ તથા ખઉઈચ કરતાં વધારે માત્રામાં ગેસ વપરાશ દૈનિક ધોરણે કરતાં જણાશે તો કોઈપણ જાતની આગોતરી નોટિસ વગર તેમનો ગેસ પુરવઠો બંધ કરવામાં આવશે જેની જવાબદારી જે તે ઔધોગિક એકમોની રહેશે તેવું સ્પષ્ટ પણે જણાવી ગુજરાત ગેસ લિમિટેડ તેની ક્ષમતા વધારવા માટે તમામ પ્રયત્નો કરી રહેલ છે અને આ કાર્યવાહી તદ્દન હંગામી ધોરણે હોવાનું જણાવ્યું છે.

આ મામલે ગુજરાત ગેસ કંપનીએ વધુમાં જણાવ્યું છે કે મોરબી વિસ્તારના સીરામીક એકમોને ભૂતકાળમાં પણ સતત અને અવિરત ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે અને હાલમાં પણ તેના ગ્રાહકોને સતત ગેસ પુરવઠો પૂરો પાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે ગેસ વિતરણ વ્યવસ્થા પૂર્વવત અને મજબૂત કરવા આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે હાલના સંજોગોમાં કોલગેસ પ્લાન્ટ બંધ થતાં કુદરતી ગેસની માંગમા જબરો ઉછાળો આવતા આ પરીસ્થિતિ સર્જાઈ છે જો કે બીજી તરફ ગેસ સપ્લાય ખોરવાતા સિરામિક ઉદ્યોગને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે મોરબીના ઉદ્યોગકારો દ્વારા વહેલામાં વહેલી તકે ગેસ સપ્લાય પૂર્વવત બનાવવામાં આવે તેવું સિરામિક ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે.

વિકટ્રીફાઈડ એસોશીએશના પ્રમુખ મુકેશભાઈ પટેલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો પાસે ક્નેશન તમેન ગેસ આપવામાં આવશે. જેમાં બધાની સહમતી છે. કેન્દ્રનું રૂલ છે કે આવું કંઈ બને તો બધાને સમાન હક થી આપવાનું એટલે કે બધાને સરખું લાગુ પડે એટલે કોઈને અન્યાય ન થવો જોઈએ. જેને નવા કનેક્શન જ મૂકવાના છે એટલે કેજે ને નવું મીટર જ મુકવાનું છે અત્યારે નહીં આપવામાં આવે. જે નિયમ માં આવે છે પણ જેને મીટર છે, પાઇપલાઇન છે, ગુજરાત ગેસ સ્પાલ્ય કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.