Abtak Media Google News

કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો છે. ટ્રિપલ તલાક બિલ છેલ્લાં બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ એવામાં હવે કેબિનેટે આ મુદ્દે અધ્યાદેશ પાસ કરી દીધો છે.

ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકાર ઘણી જ આક્રમક રહી છે, તેના માટે સરકાર દ્વારા બિલ પણ રજૂ કરાયું હતું જો કે લોકસભામાં આ બિલ પહેલાં જ પાસ થઈ ચુક્યું છે. ટ્રિપલ તલાક બિલ આ પહેલાં બજેટ સત્ર અને મોનસૂન સત્રમાં રજૂ થયું હતું, પરંતુ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.