Abtak Media Google News

ચુંટણીપ્રચાર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા-અર્ચના અને રૂદ્રાભિષેક કર્યો: કાલે બદ્રીનાથનાં દર્શન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણીપ્રચાર પૂર્ણ થયા બાદ દર્શનાર્થે કેદારનાથ પહોંચ્યા છે જયાં તેઓએ ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના અને રૂદ્રાભિષેક કર્યો હતો. આ ઉપરાંત તેઓ કેદારનાથમાં આવેલી ગુફાઓમાં ધ્યાન પણ ધર્યું હતું સાથે આવતીકાલે તેઓ બદ્રીનાથનાં દર્શન કરવા જવાના છે.Screenshot 2 5

લોકસભા ચુંટણીનો પ્રચાર-પ્રસાર સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચ્યા છે. તેઓની કેદારનાથની મુલાકાતને ધ્યાને લઈને કેદારનાથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ સવારે કેદારનાથ મંદિરમાં વિશેષ પુજા-અર્ચના અને ‚દ્રાભિષેક કર્યો હતો. આ ઉપરાંત તેઓ કેદારનાથમાં આવેલી ગુફામાં ધ્યાન પણ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તેઓનાં પ્રવાસની વિગતમાંથી જાણવા મળ્યું છે કે, તેઓ આવતીકાલે બદ્રીનાથ પણ દર્શનાર્થે જવાના છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.