Abtak Media Google News

પશ્ચિમ ક્ષેત્રનું પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે દરરોજ હજારો ભાવિકો આવતા હોય યાત્રાળુઓની સુખાકારી માટે રાજયના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગઈકાલે દ્વારકાધીશ મંદિર માટે સોલાર સીસ્ટમ સાથેની મોબાઈલ રીક્ષા અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દ્વારકા સ્થિત જગત મંદિરમાં ઈમરજન્સી લાઈટીંગ સુવિધા માટે સોલાર સિસ્ટમ સાથેની એલઈડી લાઈટીંગ સુવિધાવાળી મોબાઈલ રીક્ષા અર્પણ કરવામાં આવી છે. અત્યાધુનિક સુવિધા સાથેની આ સીસ્ટમદ્વારકા દેવસ્થાન સમિતિને પ્રાપ્ત થઈ છે ત્યારે તેની યોગ્ય રીતે જાળવણી સાથે સેવા શરૂ કરવાની કામગીરી દેવસ્થાન સમિતિના વહીવટદાર દર્શન વિઠલાણીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયું છે. યાત્રાધામ વિકાસ બોર્ડના દ્વારકાના પ્રતિનિધિ રમેશભાઈ હેરમાએ આસુવિધા ફાળવવા માટે બોર્ડને કરેલી રજૂઆતને સફળતા સાંપડી છે.

Mobile-Rickshaws-With-Solar-System-For-Emergency-Lighting-For-Dwarkadhish-Temple
mobile-rickshaws-with-solar-system-for-emergency-lighting-for-dwarkadhish-temple

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.