Abtak Media Google News

ઓસમ ડુંગર ખાતે માત્રી માતાજીની ભવ્ય રવાડીનું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતું તેમજ માતાજીને નત મસ્તક વંદન કર્યા હતાં. ત્યારબાદ મહંતશ્રી જયવંતપુરી ગુરુ રમેશપુરીનું હાર પહેરાવી તેમનું અભિવાદન કરી મંત્રીશ્રી જયેશભાઈએ ત્રિદિવસીય મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

માત્રી માતાજીની દિવ્ય રવાડી નગરમાંથી પસાર થતા ભક્તજનો દ્વારા ધજા-પતાકા લહેરાવી મ્યુઝિક ની ધૂન અને રાસ ગરબાની રમઝટ સાથે આ રવાડી પવિત્ર ઓસમ ડુંગર પર માત્રી માતાજીના મંદિરે પૂર્ણ થશે.

Osam Mela Prarambh 15મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ સર્વ નગરજનોને આ મેળાનો લાભ લેવા અત્રે અનુરોધ કર્યો હતો. મેળાના પ્રારંભે મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો ઉમટી પડયા હતા. બાસુરીના સુરીલા મધુર અવાજ અને ચગડોળમાં હિલોળા લેતા બાળગોપાલની કિકિયારીઓથી સમગ્ર મેળાનું વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું હતું.

મેળાના પ્રારંભે પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ ડેરીના ચેરમેનશ્રી ગોવિંદભાઇ રાણપરીયા, જામકંડોણા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ વિઠ્ઠલભાઈ બોદર, ધોરાજી માર્કેટિંગ યાર્ડના પ્રમુખરણછોડભાઈ કોયાણી, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ માધવજી પટેલ, આશિષભાઈ કોયાણી, ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરકીશનભાઈ માવાણી, સરપંચ રેખાબેન ગીરીશભાઈ પેથાણી, ગ્રામ પંચાયતના સભ્યશ્રી ભારાઈ મુકેશભાઈ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.