Abtak Media Google News

કેન્દ્ર સરકારને સસ્તા અનાજ પાછળની જોગવાઈ ૨૦૧૨-૧૩ની સરખામણીએ હવે દોઢ ગણી કરવી પડી

લઘુતમ ટેકાના ભાવ કી ખેડૂતોને પોતાની પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તેવો હેતુ સરકારનો હતો. પરંતુ હવે લઘુતમ ટેકાના ભાવ જ સરકારને ૫૦ ટકા મોંઘા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વર્તમાન સમયે સસ્તા દરના અનાજ માટે સરકારને વર્ષ ૨૦૧૨-૧૩ની સરખામણીએ ૫૦% વધુ ભંડોળ ફાળવવાની ફરજ પડી છે. નેશનલ ફૂડ સિક્યુરીટી એકટ વર્ષ ૨૦૧૩ના જુલાઈ મહિનામાં અમલમાં આવ્યો હતો. ત્યારી અત્યાર સુધી સસ્તા દરે વેંચાતા અનાજના ભાવને સુધારવામાં આવ્યા નથી. પરિણામે સરકારને આગામી વર્ષમાં સસ્તા દર માટે દોઢુ ભંડોળ ફાળવવાની ફરજ પડી છે.

7537D2F3 3

થોડા સમય પહેલા ૨૦૧૩ી ચાલ્યા આવતા સસ્તા દરના અનાજના ભાવને સુધારવાની દરખાસ્ત લોકસભામાં કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨-૧૩માં ચોખાનો કવીન્ટલ દીઠ ભાવ ૨૦૧૮ હતો. જે ૨૦૧૯માં અનેકગણો વધી ગયો હતો. ત્યારબાદ ઘઉંના ભાવમાં પણ ૧૪૮૩ માંથી ૨૧૧૫ જેવો ભાવ વા પામ્યો હતો. ભાવ વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં સૌથી મહત્વનું કારણ સરકારના લઘુતમ ટેકાના ભાવી ખરીદવાની નીતિ પણ માનવામાં આવે છે.

એક તરફ લઘુતમ ટેકાના ભાવ કી અનાજ, મગફળી, કપાસ સહિતના ઉત્પાદનોનું ખેડૂતોને યોગ્ય વળતર રહે તેવો હેતુ છે. આ સો જ બહાર નિકાસ તાં ઉત્પાદનોની આવક સારી રીતે થાય તે પણ જરૂરી છે. પરંતુ સનિક કક્ષાએ સરકારને લઘુતમ ટેકાના ભાવ થોડા પ્રમાણમાં નડી ગયા હોય તેવું ફલીત થઈ રહ્યું છે. લોકોને સસ્તા દરે અનાજ આપવા પાછળના ખર્ચમાં તોતીંગ વધારો યો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ફૂડ સબસીડી બીલ ૧,૧૩,૧૭૧ કરોડ હતું. જે વર્ષ ૨૦૨૦-૨૧માં વધી જવા પામ્યું છે. સરકારે આ વાતને બજેટમાં પણ ગંભીરતાી લીધી હોવાનું જાણવા મળે છે. લાંબા સમયી લઘુતમ ટેકાના ભાવે યેલી ખરીદી બાદ હવે નીચા દરે માલ મેળવવો મુશ્કેલ છે. સરકારે ખેડૂતોની આવક વધારવા યોગ્ય વળતર આપ્યું છે. જો કે, આ વળતરના કારણે સરકારની તિજોરી ઉપર થોડા અંશે ભારણ આવ્યું હોવાનું આંકડા પરી જાણવા મળે છે.

અહીં નોંધનીય છે કે, નેશનલ ફૂડ સિક્યુરીટી એકટ હેઠળ ગરીબોને સસ્તા દરે અનાજ પહોંચાડવામાં આવે છે. આ અનાજ માટે સરકાર દર વર્ષે એક નિશ્ર્ચિત ભંડોળની જોગવાઈ બજેટમાં કરતી હોય છે. આ ભંડોળ દર વર્ષે સમયાંતરે વધતું હોય તેવું તાજેતરના આંકડામાંથી જાણવા મળ્યું છે. જો કે, સરકારની લઘુતમ ટેકાના ભાવની નીતિ અનેક સ્તરે દેશ માટે ફાયદાકારક નિવડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અગાઉ કપાસ, મગફળી, કઠોળ સહિતના ઉત્પાદનોમાં સરકારે લઘુતમ ટેકાના ભાવી કરેલું બાંધણું ખેડૂતો અને ઈકોનોમી માટે ખુબજ ફાયદાકારક નિવડયું હોવાનું જાણવા મળ્યું છે.

ગરીબોને ભોજન મળી રહે તેવા હેતુી વર્ષ ૨૦૧૩-૧૪માં ખાસ કાયદો બનાવવામાં આવ્યો હતો. જેમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવા માટે ખાસ ભંડોળ ફાળવવાની જોગવાઈ હતી. દેશમાંથી ઘઉં, ચોખા સહિતનું અનાજ ગરીબોને સસ્તા દરે આપવામાં આવતું હતું. આ યોજના પાછળ નિશ્ર્ચિત ભંડોળ ફાળવામાં આવે છે. જો કે ૨૦૧૩ થી અત્યાર સુધીમાં સમયાંતરે યેલા ભાવ વધારાના કારણે સરકારના બજેટમાં પણ સમયે-સમયે વધારો તો જોવા મળ્યો છે. ગત શનિવારે નાણા પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલા બજેટમાં સસ્તા અનાજ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જો કે, આ જોગવાઈ ૨૦૧૨-૧૩ની સરખામણીએ ૫૦ ટકા વધતા સરકારની તિજોરી ઉપર ભારણ સમાન છે. લઘુતમ ટેકાના ભાવના કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળે છે. બીજી તરફ સસ્તા અનાજના કારણે ગરીબોને ભોજન મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.