Abtak Media Google News

લોકસભા ૨૦૧૯ને લઈ દેશભરમાં ભાજપ દ્વારા આજથી સમગ્ર દેશમાં ‘મેરા પરિવાર ભાજપ પરિવાર’ અભિયાન અંતર્ગત દેશવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટ ખાતેના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.Dsc 6495

જેમાં અંજલીબેન ‚પાણી સહિત શહેર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓ સેલ્ફી લેતા નજરે પડયા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, શહેર ભાજપ કમિલેશ મિરાણી તથા ભાજપના અન્ય કાર્યકર્તાઓએ પણ પોતાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો હતો. વોર્ડ નં.૮માં બીજેપીના અગ્રણી નીતિન ભારદ્વાજના નિવાસ સ્થાને પણ ઘર-ઘર ભાજપ મિશન સાથે કમળ લહેરાયું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.