Abtak Media Google News

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે.  ત્યારે આજે પણ સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં 75 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ 127 મિમિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોઁધાયો છે.

જ્યારે જામજોધપુરમાં 76 મિમિ,

રાણાવાવમાં 70 મિમિ,

માણાવદરમાં 55 મિમિ,

કાલાવડમાં 52 મિમિ,

લાલપુર અને ભાણવડમાં 49 મિમિ,

રાજકોટના ઉપલેટામાં 46 મિમિ,

જૂનાગઢના વંથલીમાં 40 મિમિ,

પોરબંદર અને કુતિયાણામાં 36 મિમિ,

ધોરાજીમાં 31મિમિ

જૂનાગઢમાં 26 મિમિ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 25 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.