Abtak Media Google News

શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની દીક્ષા શતાબ્દી નિમિતે ભાવાંજલિ મહોત્સવ

શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજીની દિક્ષા શતાબ્દી નિમિતે ભાવાંજલિ મહોત્સવ ઉત્સવ ઉજવાશે. જેના અંતર્ગત તા.૯ થી ૧૩ દરમિયાન સત્સંગી જીવન કથા પારાયણનું મેઘાણી રંગભવન ભકિતનગર સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કથા રાત્રે ૮:૧૫ થી ૧૧:૧૫ રહેશે.

કથાના યજમાન જમનાદાસ લીલાધર કાનાબાર છે. તા.૯ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે પોથીયાત્રા નિકળશે. રાત્રે ૯ કલાકે ઘનશ્યામ પ્રાગટયોત્સવ ઉજવાશે. જયારે તા.૧૦ના રોજ રાત્રે ૯ કલાકે નિલકંઠ વનપ્રવેશોત્સવ જયારે તા.૧૧ના મંગળવારે સાંજે ૪ થી ૬ કલાકે મહિલા ઉત્કૃષ્ટ સત્સંગ સભા ઉજવાશે. રાત્રે ૯ કલાકે શ્રીહરીપટાભિષેક જયારે તા.૧૨ના રોજ રાત્રે ૯ કલાકે હાટડી ઉત્સવ અને તા.૧૩ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે અન્નકૂટોત્સવનું આયોજન કરાયું છે.

આ કથાના વકતા શાસ્ત્રી મંગલસ્વ‚પદાસજી સ્વામી તથા શાસ્ત્રી ચૈતન્યસ્વ‚પદાસજી સ્વામી સંગીતની સુરાવલી સાથે સુમધુર ભાષામાંકથા શ્રવણ કરાવી શતાનંદપીઠને શોભાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.