Abtak Media Google News

વોર્ડ નં-૩ શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી શ્યામ મનોરજી હવેલી દ્વારા સીનીયર સીટીઝન બહેનો માટેની યાત્રા પ્રવાસ પ્રસ્થાન કરાવતા મેયર બિનાબેન આચાર્ય તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી………

વોર્ડ નં-૩ શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી શ્યામ મનોરજી હવેલી(જંકશન પ્લોટ) દ્વારા સીનીયર સીટીઝન બહેનો માટે ટોકન દરે જુદા-જુદા ધાર્મિક સ્થળોમાં યાત્રા પ્રવાસ યોજવામાં આવેલ. જેને આજ તા. ૩૦/૦૬/૨૦૧૮ ના રોજ મેયર બિનાબેન આચાર્ય તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ ધારસભ્ય ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ વિગેરે આ યાત્રાને પ્રસ્થાન કરાવેલ  અને તમામ બહેનોને શુભેચ્છા પાઠવેલ. આ અવસરે મુખ્ય આયોજક હેમુભાઈ પરમાર, જગદીશભાઈ ભોજાણી, શ્રી શ્યામ મનોરજી હવેલીના મુખ્યાજી આશીષભાઈ, જે.કે પોપટ, ભરતભાઈ કોટક, પ્રભુદાસભાઈ રાજવીર, નરોતમભાઈ પુજારા, હરેશભાઈ રાજા, મુકુલભાઈ ગણાત્રા, લત્તાબેન, મધુબેન, મનોજભાઈ લાલ વિગેરેએ જહેમત ઉઠાવેલ.

૧૫૦ બહેનો માટેનો યાત્રા પ્રવાસ ૨ દિવસ માટેનો યોજવામાં  આવેલ છે. જેમાં રહેવા-જમવા વિગેરે તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ યાત્રા ડાકોર, પોઇચા સ્વામિનારાયણ ધામ, કુબેર ભંડાર, નર્મદા સ્થાન, જુદી-જુદી બેઠકો વિગેરે સ્થળોએ લઇ જવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા આવા સુંદર આયોજન બદલ ઉપસ્થિત મહાનુભવોને, હોદેદારોને અભિનંદન પાઠવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.