Abtak Media Google News

મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને આર.એમ.એસ.એ.દ્વારા ચાર દિવસના ગણિત વિષયના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોને ગણિત વિષયનું દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગણિત વિષય પરના આ તાલીમ વર્ગમાં તજજ્ઞ તરીકે આવેલ ડો. વારેવડીયા, ડો. જી.એફ મહેતાએ તાલીમાર્થી શિક્ષકોને ગણિત વિષય ઉપરાંત અસરકારક પદ્ધતિઓ, આરોગ્ય વિષયક માહિતીઓ અંગે માહિતી આપી હતી. આ સાથે તાલીમાર્થી શિક્ષકોને ગણિત વિષયને ભારરહિત બનાવવાની ટેક્નિકસ અને મોટિવેશન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.