Abtak Media Google News

બાવળા માં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ના

46 મો વાર્ષિક પાટોત્સવ સંસ્થા ના આચાર્ય પ.પૂ. પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજી મહારાજ ની પુનિત નિશ્રા માં ધામધૂમ થી ઉજવવા માં આવ્યો.  આ પ્રસંગે મંઝિર માં

બિરાજ માન શ્રી સ્વામિનારાયણ ભગવાન , જીવનપ્રાણ બાપાશ્રી , અને શ્રી મુક્તજીવન સ્વામિબાપા નું ષોડશોપચાર પૂજન અર્ચન કરવા માં આવ્યું  , ભવ્ય અન્નકૂટ તેમજ સતસંગ અને આરતી ઓ ના ભક્તો એ લાભ લીધો હતો.
આ પ્રસંગે પ.પૂ.આચાર્ય સ્વામીશ્રી ના 75 માં પ્રાગટ્ય પર્વે ભક્તો એ 75 ફૂટ લાંબો ગુલાબ નો હાર પહેરાવી ધન્યતા અનુભવી હતી. અને ખુબજ મોટી સંખ્યા માં  ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે આશીર્વચન આપતા પ.પૂ. આચાર્ય સ્વામીશ્રી એ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ભવિષ્યકાળ ને મહાન બનાવવા માટે વર્તમાનકાળ ને મહાન બનાવો તેના માટે મનમુખી મટી ગુરુમુખી થવું પડે ભગવાન અને ભગવાન ના સત્પુરુષો ના વચન પ્રમાણે નિર્વ્યસની થાઈ ભગવદ્ભક્તિ કરી મનુષ્ય જીવન ને સાર્થક બનાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.