Abtak Media Google News

માણાવદર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ થયેલ હોય અને માણાવદર  ક્ષારવતી નદી (રસાલા ડેમ  ) માં નવા નીર આવેલ હોય લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગયેલ છે આજરોજ માણાવદર નગરપાલિકા ના પ્રમુખ જયેશભાઈ વાછાણી અને તેમની ટીમ દ્વારા શહેરમાં આવેલ રસાલા ડેમ માં આવેલ નવા નીર ના વધામણાં કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકા ના તમામ સભ્યો પણ હાજર રહી નવા નીર નું શાસ્ત્રોકત વિધીથી પુજન અર્ચન કરી નીર ના વધામણાં કરેલ હતા

માણાવદર તાલુકા માં એકંદરે સારો વરસાદ થતા ખેડૂતો એ હર્ષ ની લાગણી અનુભવી રહેલ છે તેમજ ધણા લાંબા સમયથી શહેરના લોકો પાણીની અછત નો સામનો કરી રહેલ હતા ત્યારે આ વરસાદ થવાથી જમીનના તળ ઉંચા આવશે અને નગરપાલિકા હસ્તકના  પાણી ના સોર્સ કે જેમાં પાણી ખુટી ગયેલ હતુ તે સોર્સમાં પણ ટુંક સમય માં પાણી ના તળ ઉંચા આવવાની શક્યતા હોય જેથી શહેરની પાણી ની સમસ્યા મહદ્દઅંશે અંશે દુર કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.