Abtak Media Google News

ગાંધી જયંતિના પાવનકારી અવસરે ‘અબતકે’ લીધી મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિશેષ મુલાકાત

રાજકોટને આંગણે નિર્માણ પામેલુ વિશ્વકક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખરેખણ મનને ચિર શાંતિ અર્પે છે.અહી પગ મૂકતાની સાથે જ ખરાબ કે વિનાશકારી વિચારોનું વિસર્જન થઈ જાય છે.1 17આજે ગાંધીજયંતિના પાવન અવસરે ‘અબતક’ મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિશેષ મુલાકાત લીધી હતી અને સહેલાણીઓ સાથે તેઓના અનુભવ વિશેની વાતો કરી હતી.

2 12તાજેતરમાં જ ખૂલ્લુ મુકાયેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીજીએ જે શાળામાં ૭ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો કે કાઠીયાવાડ હાઈસ્કુલ જે બાદમાં આલ્ફેડ નામથીક ચાલતી હતી ત્યાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવાયું છે.3 11વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ આ મ્યુઝીયમનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ. ત્યારે લોકો પણ આ મ્યુઝીયમને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા છે. કુલ ૪૦ રૂમ સાથેના આ ભવ્ય મ્યુઝીયમમાં ગાંધીજીના સંપૂર્ણ જીવન તથા તેમના વિચારોને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે લેશરશો પણ રાખવામાં આવ્યા છે.4 9મહાત્મા ગાંધીજીની આઝાદીની ચળવળો, તેમને ભોગવેલ કારાવાસ, દાંડીકૂચ, અંગ્રેજો સામેની તેમની અલગ અલગ ચળવળો તથા ગાંધીજીના આદર્શો જેવા કે સત્ય, અહિંસા, સર્વધર્મ સમાન નિડરતા, સ્વાવલંબી જેવા બધા જનો ખુબ સરસ રીતે સુત્રો સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.5 7અલગ અલગ ‚મમાં વિડિયો પ્રેઝનટેશન દ્વારા ગાંધીજીના જીવનના પ્રસંગોને દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ગાંધીજીનો અમુક સ્પીચ પણ ઓડીઓ સ્વરૂપે રાખવામાં આવી છે. ગાંધી જયંતીના દિવસે મોટી સંખ્યામાં લોકોએ આ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી.6 7બચ્ચા સ્કૂલના બાળકોએ આ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી ત્યારે ધો.૬માં અભ્યાસ કરતી કરિશમાએ જણાવ્યું હતુ કે તેમને મ્યુઝીયમ જોઈને ખૂબજ મજા આવી અને ગાંધીજી વિશેની ઘણી રસપ્રદ વાતો પણ જાણવા મળી તથા આ સ્કૂલના શિક્ષક સાગઠીયા પૂજાએ જણાવ્યું હતુ.11 2

કે બાળકોને આ મ્યુઝીયમ દ્વારા ઘણુ બધુ શિખવા તથા જાણવા મળશે. અમે પણ બાળકોને તેમના આદર્શો વિશે જ્ઞાન આપતા હોઈ છીએ.7 3ખાસ કરીને અક્ષરો માટે ગાંધીજીને હંમેશા લાગતુ કે તેમના અક્ષરો સારા નથી ત્યારે અમે બાળકોને સારા અક્ષરો માટે પ્રેરીત કરતા હોઈએ છીએ. આ સાથે ગાંધીજીના સાદગી અને કરકસરભર્યા જીવન વિશે પણ બાળકોને સમજાવતા હોઈએ છીએ.8 2સિન્ડીકેટ બેંકના મેનેજર ગીરીશ નીરાનજાનીએ જે ઈન્દોરના વતની છે. તેમને જણાવ્યું હતુ કે તેઓ ઘણા સમયથી આ મ્યુઝીયમને બનતા જોઈ રહ્યા હતા અને તેઓ મ્યુઝીયમ માટે ખૂબ ઉત્સાહિત હતા9 2તેઓ તેમના પૂરા પરિવાર સાથે મ્યુઝીયમની મુલાકાત લેવા આવેલા હતા વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આ ખૂબજ સુંદર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે.12ખાસ કરીને યુવા વર્ગ અને બાળકોને આ મ્યુઝીયમ ગાંધીજીના સિધ્ધાંતો વિશે ઘણુ જાણવા મળશે. આઝાદી માટે ગાંધીજીએ કરેલી ચળવળો વિશે પણ લોકો માહિતગાર થશે.

10 2અને ભારતે આઝાદી માટે કેટલીએ કુરબાની આપી છે.તેનું લોકોને વધુ સારી રીતે જ્ઞાન મળશે તેમના દિકરીએ ભૂખા નરાનજાનીએ જણાવ્યું તુ કે તે આ મ્યુઝીયમ જોઈ ખૂબ જ ખુશ છે. અને મ્યુઝીયમ દ્વારા તેમને ગાંધીજી વિશે વધુ જાણવાનો મોકો મળ્યો.15 1આ પ્રોજેકટના હાલના ઈન્ચાર્જ વિપૂલ ધોણીયાએ જણાવ્યું હતુ કે આ એક વિશ્વસ્તરીય મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. અને છેલ્લા બે દિવસથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ મ્યુઝીયમની મુલાકાત લઈ રહ્યા છે.13ત્યારે રાજકોટ માટે આ ખૂબ ગર્વની વાત છે. કે આ પ્રકારનું મ્યુઝીયમ રાજકોટ ખાતે નિર્માણ પામ્યું છે.10 3આ મ્યુઝીયમમાં ગાંધીજીના જીવનકાળ સાથે સાથે ગાંધીજી સાથે સંકળાયેલા લોકો તેમની માતા પૂતળીબાઈ, તેમના પિતા કરમચંદ ગાંધી તેમના પત્ની કસ્તુરબા વિશે પણ ખૂબજ સરસ માહિતી આપવામાં આવી છે.14 1

વડાપ્રધાનને મુલાકાત બાદ આ મ્યુઝીયમના ખૂબ વખાણ કર્યા હતા. તથા વિઝિસ્ટર બુકમાં સંદેશો પણ પાઠવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.