Abtak Media Google News

લાખો ભાવિકોએ સોમનાથમાં શીશ ઝુંકાવ્યું: રાજયમંત્રી વિભાવરીબેન દવે દ્વારા પૂજા

મહાશિવરાત્રિ પર્વે વિશાળ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહેલ છે, પ્રાત:શૃંગારમાં મહાદેવને વિશેષ પાઘ તૈયાર કરી અર્પણ કરવામાં આવેલ. પરંપરાગત ધ્વજાપૂજા ધ્વજારોહણ કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીના હસ્તે  પુજા કરવામાં આવેલ જેમાં અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. ત્યારબાદ પાલખીયાત્રી યોજાયેલ હતી.Dsc 0696 1

જેમાં મહાદેવ નગરચર્યાએ નિકળતા ભક્તો ભાવવિભોર બનેલ અને પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠેલ હતો. મહાશિવરાત્રિની રાત્રે પારંપરીક જ્યોત પૂજન યોજાયેલ જેમાં માન.ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી, ગુજરાતના રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ના હસ્તે પૂજા કરવામાં આવેલ.

Img 2607

સાથે જ દ્વિતીય પ્રહર પૂજા કરવામાં આવી જેમા બ્રહ્મદેવો દ્વારા મહાપૂજન કરવામાં આવેલ. સૌ ભક્તો એ ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠેલ. ભગવાન સોમનાથ મહાદેવને આ પ્રસંગે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.