Abtak Media Google News

માનવતા પરિવાર દ્વારા દર  માસની ૨૨મી તારીખે  અલગ અલગ દાતાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે  આ કેમ્પ ના દાતા રામેશભાઈ તુલસીદાસ અને તેમના પરિવારના આર્થિક સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોતીયો-ઝામર વેલ પરવાળા જેવા આંખો ને થતાં રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.

તેમાંથી ઓપરેશનની જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા લાઇજવા માં આવ્યા હતા ને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવમાં આવે છે અને આ કેમ્પમાં 180 વ્યક્તિઓએ ચેકઅપ કરાવ્યું હતું તેમાંથી 54 દર્દીઓને ઓપરેશન માટે લાઇજવાયા આ કેમ્પ માં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો વેપારીભાઈઓ અધિકારીઓ સાથે અન્ય આગેવાનો મોટી સંખ્યામાં  આસપાસ ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Image 2019 05 22 At 1.32.35 Pm Whatsapp Image 2019 05 22 At 1.32.33 Pm Whatsapp Image 2019 05 22 At 1.32.34 Pm 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.