Abtak Media Google News

હાલમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લેતા રાજય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ તા.૩૧/૩/૨૦૨૦ના રોજ  કુલ-૬,૯૦,૨૭૨ કાર્ડની મુદત જે અગાઉ તા.૩૦/૬/૨૦૨૦ સુધી લંબાવાઈ હતી. તેને ફરીથી ગુજરાત સરકારના નિર્ણયથી વધુ ત્રણ માસની મુદત વધારી તા.૩૦/૯/૨૦૨૦ સુધી લંબાવેલ છે. જેથી આ પરિસ્થિતિમાં લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તથા યોજનાનું અમલીકરણ સરળતા પૂર્વક થાય તેમજ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે લાભાર્થીઓએ ફરજીયાત પણે નવો આવકનો  દાખલો રજુ કરીને મા વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરાવવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.