Abtak Media Google News

ભારત અને જર્મની વચ્ચે હવાના ગુબ્બારાઓને લઇને ઉભી થયેલી સમસ્યાઓનો નિવારણ ન થતાં બન્ને દેશો વચ્ચેનો ઉકેલ ન આવવાને પગલે લુફથાંસાએ બુધવાર સપ્ટે.૩૦ થી ઓકટો-ર૦ સુધીની તમામ ફલાઇટો રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

એરલાઇન્સ દ્વારા જણાવાયું હતું કે અન અપેક્ષિત ધોરણે રદ કરવામાં આવેલ ફલાઇટ સિડયુલને લઇને આ નિર્ણય લેવાયો છે. ભારતીય સત્તાવાળાઓએ અગાઉ જર્મન સરકાર દ્વારા હંગામી ધોરણે પ્રવાસ સમજુતિ બન્ને દેશો વચ્ચે ચર્ચા માટે જર્મનીએ કરેલા પસ્તાવનો ભારતે અસ્વીકાર કર્યો હતો.

ભારતના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એર બબલ્સની સમસ્યાને લઇને બન્ને દેશો વચ્ચે વિમાન સેવા બહાર રાખી શકાય તેમ નથી. જર્મની સાથેનો પ્રવાસ વ્યવહાર રદ કરવામાં આવતા લુફથાંસાની ૩ થી ૪ ફલાઇટ અને અઠવાડીયાની વીસ ફલાઇટોની જગ્યાએ સાત ફલાઇટોની લુફથાંસાની ઓફર સ્વીકાર્ય નથી તેની પાસે દિલ્હી, મુંબઇ, બેંગ્લોરથી યુરોપની ફલાઇટ અને ચેન્નઇની આંતર રાષ્ટ્રીય ફલાઇટનું શિડયુલ અટકી પડયું છે. તેમણે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી નિરંતર ફલાઇટોની મંજુરી માટે અરજી કરી છે. જર્મન સરકાર સાથે કરાર ફાઇનલ ન થઇ જાય ત્યાં સુધી લુથ્થાસનાને ફલાઇટનો કોટો આપવો જોઇએ.

હજારો ભારતીયો અને વિદેશી નાગરીકો ભારત તરફ આવવા અને ભારતથી ઉડવા માટે તત્પર છે ત્યારે બન્ને પક્ષના હિતમાં લુફથાંસાનાને પુરો કોટો મળવો જોઇએ, ફ્રાંસ અને જર્મની ભારતે ઉભા કરેલા એર બબલ સાથે જોડાયેલા દેશો છે.

કોરોના કટોકટીના પગલે એર બબલની જોગવાઇમાં અનુસંધાને ભારત અને અન્ય દેશોના નાગરીકો પોઇન્ટ ટુ પોઇન્ટ પ્રવાસ કરી શકશે. લુફથાંસાના અને એર ફ્રાન્સમાં ભારતીય નાગરીકો ભારતે અને યુરોપ વચ્ચે આવ-જા કરી શકશે. એર બબલની નવી જોગવાઇમાં બબલના કાયદા મુજબ વિમાનોને કાર્ય કરતું રહેવાનું હોવાથી લુફથાંસાનાને ભારત અને જર્મની વચ્ચે પુરતો કોટો મળવો જોઇએલુફથાંસાનામાં જજ વિદેશીથી અસંખ્યા લોકો ભારત તરફ આવ-જા માટે તૈયાર હોવાથી એરબબલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.