ડીજીપી દ્વારા એક પરિપત્ર જાહેર કરાઈ લોકલ ક્રાઈમ બ્રાંચની કામગીરી તથા તેમાં નિમણૂકને લઈ કેટલીક રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઢીલા-અપરિપક્વ અધિકારી કે કર્મચારીને જીલ્લા ક્રાઈમ બ્રાંચમાં નહીં મકી શકાય.તમને જણાવી દઈએ કે, જીલ્લાના પોલીસ દળમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ મહત્વની એજેન્સી ગણાય છે. સૌથી વધુ મોભો ધરાવતી આ બ્રાંચની કામગીરી અંગે આજ સુધી કોઇ સ્પષ્ટ રૂપરેખા હતી નહીં. તેવી જ રીતે આ બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું. પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજ રોજ એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂંક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવી છે.
Trending
- ફુટબોલ ક્ષેત્રે હવે ગુજરાત પછાત નહીં રહે: પરિમલ નથવાણી
- શરદ પવારે NCP-SCPના મેનિફેસ્ટોને આપ્યું ‘એફિડેવિટ’ નામ, ક્યાં ક્યાં મુદ્દાઓનો કર્યો સમાવેશ ??
- હવે હેલિકોપ્ટરથી સાળંગપુર જઈ શકાશે
- હમીર રાઠોડ બાદ રાજુ સોલંકીનું પણ શંકાસ્પદ મોત થતાં રોષ ભભુક્યો
- પારડી નજીક ખોખડદડ નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત
- પોલીસ અને ફ્લાઇંગ સ્કવોડનું સંયુક્ત ઓપરેશન : કેશોદના પંચાળા ગામની સીમમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું
- રાહુલ ગાંધી 29મીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધશે
- પારો ફરી ઉંચકાયો:7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર