Abtak Media Google News

લોહાણા મહાપરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય રધુવંશી ડે એન્ડ નાઇટ રનીંગ ટ્રોફી ટુર્નામેન્ટ આયોજન આઠ વિભાગો વચ્ચે કાંટે કી ટકકર: લાખેણા ઇનામોની વણજાર

લોહાણા મહાપરીષદ (રમત ગમત સમીતી) દ્વારા આગામી તા.પ જાન્યુઆરી, ૭ જાન્યુઆરી  સુધી રાજકોટ ખાતે જ્ઞાતિશ્રેષ્ઠી સ્વ. મણીલાલ નરસીદાસ કાથરાણી ભુવનેશ્ર્વર ના મુખ્ય સહયોગથી માતુશ્રી પાર્વતીબેન નરસીદાસ કાથરાણી આંતરરાષ્ટ્રીય રધુવંશી રનીંગ ટ્રોફી ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજના કરવામાં આવ્યું છે. જેમાં મહાપરીષદના ૮ વિભાગો જેવા કે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, મુંબઇ (સહ મહારાષ્ટ્ર) વિદર્ભ (મઘ્ય ભારત) વિભાગ, દક્ષિણ ભારત વિભાગ, ઉતર પૂર્વ વિધાગ વિદેશ વિભાગ વચ્ચે મેચો રમાશે.

જ્ઞાતિશ્રેષ્ઠી સ્વ. મણીલાલ નરસીદાસ કાથરાણી ભુવનેશ્ર્વર ના મુખ્ય સહયોગથી માતુશ્રી પાર્વતીબેન નરસીદાસ કાથરાણી આંતરરાષ્ટ્રીય રધુવંશી રનીંગ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ પ જાન્યુઆરીથી તા. ૭ જાન્યુઆરી સુધી રાજકોટ ખાતે યોજાશે. જેમાં ૧૬ થી ૪પ વર્ષના રધુવંશી ક્રિકેટરોએ તેમના વિભાગીય ઉપાઘ્યક્ષ મારફતે ક્રિકેટ ટીમના સીલેકશનના નિયમો મુજબ ભરી રમત ગમત સમીતીના અઘ્યક્ષ પિયુષભાઇ મજીઠીયા તથા લોહાણા મહાપરીષદની  ઓફીસે મોકલાઇ ચુકયા છે. તથા સિલેકટ થયેલ ટીમના ૧પ ખેલાડીઓએ નકકી કરેલા ડ્રેસ કોડ સાથે રાજકાેટ મુકામે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ૧૬ ઓવરની મેચ રમાડવામાં આવશે તથા વિગતવાર નિયમો સ્પર્ધા સમયે સ્થળ પર આપવામાં આવનાર છે. દરેક ખેલાડીઓ માટે રહેવા તથા ભોજનની ઉતમ સુવિધા લોહાણા મહાપરીષદના સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા દાતા પરીવારોના સહકારથી કરવામાં આવેલ છે.

૮ વિભાગો વચ્ચે રમાનારી આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમા વિજેતા થનાર ટીમને માતુશ્રી પાર્વતીબેન નરસીદાસ કાથરાણી રધુવંશી આંતરરાષ્ટ્રીય રનીંગ ટ્રોફી બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન, બેસ્ટ ફીલ્ડર, મેન ઓફ ધી મેચ, મેન ઓફ સીરીઝ વિગેરે જેવા માટે લાખેણા ઇનામોની વણઝાર કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ રાજકોટ ખાતે રમાડવાનો પ્રસ્તાવ જયારે મુકવામાં આવ્યો ત્યારે પરીષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોટક તથા ટ્રસ્ટી મંડળની ઉ૫સ્થિતિમાં રાજકોટની ટીમ તથા કાર્યકર્તાઓએ તે હર્ષભેર વધાવી લઇને આ ટુર્નામેન્ટના આયોજન માટે સહકાર આપવા ખાત્રી આપી હતી. જેને પરિણામે આ સ્પર્ધાનું આયોજન શકય બન્યું છે.

રધુવંશીઓ માટેની આંતરરાષ્ટ્રીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભારે જમાવટ કરશે. રાજકોટ ખાતેના રેસકોર્ટ મેદાન ખાતે યોજાનાર આ ટુર્નામેન્ટમાં રોજ રોજ રનોનું રમખાણ અને ચોકકા-છકકાની રમઝટને કારણે ક્રિકેટ રસીકોને મજા પડી જશે. સમગ્ર વિશ્ર્વમાંથી વિવિધ ટીમો ભાગ લેશે. કુલ ૮ ટીમો છે.

અને રોજ સવારથી લઇને મોડી રાત્રીસુધી ટુર્નામેન્ટ રમાશે. રોજ ત્રણ મેચ રમાડવામાં આવશે.

આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આકર્ષક માહીતીપ્રદ, વૈશ્ર્વીકકક્ષાનું સોવેનિયર બનાવાશે. સોવેનિયમ ભારતના દરેક ગામમાં મોકલવામાં આવશે. સોવેનેયરની હજારો કોપીઓ પ્રકાશીત કરાશે.

આ સોવેનિયરનું વિમોચન પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરાશે. લોહાણા મહાપરીષદના અનેક વિધ કાર્યક્રમોની માહીતી આપવા રુબરુ મુલાકો મહાપરીષદના ટ્રસ્ટીઓ વિણાબેન પાંધી, નીતીનભાઇ રાયચુરા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને લોહાણા મહાપરીષદના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, મહાપરીષદના જોઇન્ટ સેક્રેટરી મિતલ ગણાત્રા શીલ્પાબેન પુજારા, અશોકભાઇ હિંડોચા, ભરતભાઇ રેલીયા, નીતીનભાઇ નથવાણી, રીટાબેન કોટક, રત્નાબેન સેજપાલ, ડો. રમેશભાઇ ભાયાણી સહીતના મહાપરીષદના અગ્રણીઓ કારોબારી સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા લોહાણા મહાપરીષદની રમતગમત સમીતીના અઘ્યક્ષ પિયુષભાઇ મજીઠીયા, રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ રોહીતભાઇ અનમ, રાષ્ટ્રીય મંત્રી પ્રકાશભાઇ ઠકરાર, રાષ્ટ્રીય સંયુકત મંત્રી પિયુષભાઇ કુંડલીયા, રાષ્ટ્રીય સહમંત્રી ગીરીશભાઇ મોનાણી, હેંમતભાઇ લાખાણી, જયેશભાઇ માંડવીયા, જીમ્મીભાઇ દક્ષીણી, પરેશભાઇ તન્ના ધવલભાઇ કકકડ, મોહીતભાઇ રાજાણી મેહુલભાઇ નથવાણી સહીતના હોદેદારો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.