Abtak Media Google News

રાજુલાના ત્રીજા એડી. સેસન્સ જજ એ.કે. શાહની કોર્ટમાં દોઢથી બે વર્ષ પહેલા પોતાની પત્નીની હત્યા કરવાના મામલે કેસ ચાલી જતાં આરોપી જેન્તી દાના નાયર ખાખજબાઇ વાળાને આજીવન કેદની સજા અને રૂ ૨૦ હજાર દંડ ફટકારેલ છે અને જો આ દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા ફટકારવામાં આવેલ છે.

આ અંગેની વિગત મુજબ દોઢથી બે વર્ષ પહેલા ખાખબાઇ ગામના જેન્તી દાતા નાયર દ્વારા પોતાની દિકરીની સગાઇનું મનદુ:ખ રાખીને પોતાની પત્ની ઉષાબેન જેન્તીભાઇ નાયર ઉપર છરી અને કુહાડાથી હુમલો કરી મોતને ધાર ઉતારેલ હતી.

જે કેસની સુનાવણીમાં રાજુલા એડ. સેસન્સ જજ એ.કે.શાહ સાહેર દ્વારા આઇપીસી કલમ ૩૦૨ વિગેરે કલમમાં તકસીરવાર ઠરાવી અને આજીવન કારાવાસની સજા ફટકારેલ  છે અને રૂ ર૦ હજાર નો દંડ પણ ફટકારેલ છે અને દંડ ન ભરે તો બીજા ૬ માસની વધારાની સજા પણ સુનાવેલ છે. આ કામે વકીલ રાજુભાઇ જોષી દ્વારા દલીલ રજુ કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.