Abtak Media Google News

મકરસક્રાંતિના દિવસો દરમિયાન પતંગના દોરાથી અનેક પક્ષીઓ થાય છે ઇજાગ્રસ્ત

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઇન) ના માનવ સલાહકાર ડો. એમ.જી. મારડીયાએ મકર સંક્રાંતિના દિવસો દરમિયાન પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઇજા પામતા હોય છે. ઇજાગ્રસ્ત પક્ષીનો જીવ બચાવવા ઉપયોગી થાય તેવી માહિતી પ્રસ્તુત કરી છે.

ઇજા થયેલ પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દૂરથી પક્ષીનું થોડા સમય માટે નીરીક્ષણ કરો. પાંખ લબડવી, લોહી નીકળવું, ડોક નથી જવી, પગ ઉપર વજન ન મૂકવું વિગેરે ચિન્હો પરથી પક્ષીની સ્થિતિનો કયાસ કાઢી શકાય છે. કુદરતમાં વિહરતા પક્ષી મનુષ્યથી દૂર રહેતા હો., માનવના સંપર્કમાં આવે ત્યારે ખૂબ જ પરેશાન થાય છે અને આઘાત અનુભવે છે. પક્ષીને થયેલ ઇજામાં વધારો ન થાય તે માટે કાળજી રાખવી જરુરી હોય છે.

ઇજાગ્રસ્ત પક્ષીને પકડવા સમયે પકડનાર અને પક્ષીની સલામતી ખુબ જ મહત્વની છે. પક્ષીને ગમે તેવી ઇજા થયેલ હોય તો પણ તેની શકિત મુજબ પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે. પક્ષીને પોતાનો બચાવ કરવા સામાન્ય રીતે ચાંચ મારવી, પગના પંજાના નખ ભરાવા અને પાંખો ફફડાવતા હોય છે. જેથી  ઇજા ન થાય તે માટે સજાગ રહો, જળચર પક્ષી અણીદાર ચાંચ દ્વારા આંખ ફોડી શકે છે. માટે તેની ડોક બરાબર પકડો, શિકારી પક્ષીને પકડવા હાથમાં મજબુત મોજા પહેરવાથી નહોરની ઇજામાંથી બચી શકાય છે.

મોટાભાગના પક્ષીને સૃમાન રીતે પકડી શકાય છે. માથા અને શરીર પર જાડુ કપડું નાખી ઢાંકી દઇને પકડો, પક્ષીને એક બે પ્રયત્નોમાં ન પકડી શકાય ત્યારે અનુભવી અને જાણતલની મદદ લો, પક્ષી પકડવામાં જે સમય વધુ લાગે તેમ પક્ષીની પરિસ્થિતિ વધુ બગડે છે. પક્ષીને પકડવા પાછળ ન દોડો.

ઇજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી તળીયે કપડુ પાથરેલ અને કાણા પાડેલા પૂઠાના ખોખા કે પ્લાસ્ટીક ના બોકસમાં રાખો, ખોખું કે બાસ્કેટ ખુલ્લું ન રાખતા કપડાથી ત્રણેેય બાજુએથી આવરી લો અને ઉપરના ભાગે ટુલાલથી ઢાંકી દો,

ઇજાગ્રસ્ત પક્ષી સામાન્યથી ગંભીર આઘાતમાં હોય છે જેથી પક્ષીને શાંત અને અંધારી જગ્યામાં રાખો, પક્ષીના શરીર પર હાથ ફેરવીને કે પંપાળીને ધરપત આપવાનો પ્રયત્ન ન કરો, પક્ષીને બીનજરુરી સ્પર્શ કરવાનો કે જોવાનો પ્રયત્ન ન કરો આ હરકત આઘાતમાં વધારો કરે છે. બહારનો અવાજ, ધુમ્રપાનનો ઘુમાડો અને અતરની સુગંધ પક્ષી માટે યોગ્ય નથી.

જયારે ઠંડી અનુભવે ત્યારે શરીર સંકોચીને બેસે છે. પાંજરાની બાજુ પર ૬૦-૧૦૦ વોટનો ઇલકેટ્રીક લેમ્પ ચાલુર રાખવાથી પક્ષીને તકલીફ વગર હુફાળુ વાતાવરણ પુરુ પાડી શકાય છ. બીમાર પક્ષીને રહેઠાણમાં પૂરતો ગરમાવો મળે તો શરીરનું તાપમાન જળવાઇ રહે  તેમજ શરીરમાં સ્ફુર્તિનો સંચાર થાય છે.

ઇજા પામેલ પક્ષીને આઘાતમાંથી બહાર લાવવું એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે પક્ષીને આઘાતમાંથી બહાર આવવા ર-૩  કલાકનો સમય આપો.

ઇજા અને આઘાતમાં સરી પડેલ પક્ષીના પરિવહન માટે સામાન્ય કાળજી લેવામાં આવે તો પણ પક્ષીને ઘણી રાહત રહે છે

પક્ષીની સારવાર ખાસ કાળજી માંગી લે છે. ડોકટરી સારવારની સગવડ હોય ત્યાં લઇ જાવ-સોપો પક્ષીને ઘરે રાખવાનો પ્રયત્ન ન કરો, જુદા જુદા પક્ષીની ખાસિયત, ખોરાક અને જરુરીયાત અલગ અલગ હોય છે.

પક્ષની સારવાર માટે કયારેય ઉતાવળ ન કરો, માત્ર લોહીનો સાવ બંધ કરવા પક્ષીને તત્કાલ સારવારની જરુરી હોય છે. લોહીની સ્ત્રાવ ચાલુ હોય તો આંગળીના ટેરવાથી કે રુ કે કપડાનું પૂમડું મૂકી દબાવવાથી બંધ થઇ જાય છે. પક્ષીની લોહી ગંઠાવાની શકિત ખુબ જ વિશેષ હોય છે. ચામડી પરના કાપમાંથી આવતું લોહી સામાન્ય રીતે પોતાની મેળે બંધ થઇ જતું હોય છે. ભાંગી ગયેલ પીછામાંથી નીકળતું લોહી બંધ કરવા પીછાને મુળમાંથી ખેચવું જરુરી બને છે. પક્ષીનું હલન-ચલન લોહીનો સ્ત્રાવ વધારે છે ચાંચ અને નહોર કપાવાથી લોહીનો વિશેષ સ્ત્રાવ  થતો હોય છે. રૂનું પૂમડુ ૧ મિનીટ પૂરતું દબાવી રાખવાથી બંધ થઇ જાય છે.

બ્રાહ્મ ઇજા ન હોય પર પરંતુ બેભાન હોય તેવા પક્ષીને મોટે ભાગે નીચે પટકાવા સમયે માથામાં ઇજા થયેલ હોય છે આવા પક્ષીને એકાંતમાં શાંત અનુ હુફાળા વાતાવરણમાં રાખો.

પક્ષીના શીર પર વિટળાયેલા દોરાની ગુંચ ઉકેલવા કરતા નાની કાતરથી કાપીને દૂર કરો.

પતંગના દોરાથી પક્ષીને સામાન્ય રીતે પગ કે પાંખ ભાંગી જવી, પાંખ કે ચાંચ કપાવી, પાંખ, જીભ કે ડોક પર કાપો પડવો એ મુખ્ય ઇજા હોય છે.

પતંગના દોરાથી ઇજાનો ભોગ બનનાર પક્ષીમાં રીતે કબૂતર, હોલો, પોપટ, કાગડા, કાંકણ, બગલા, ઘુવડ, સમડી, કોયલ મુખ્ય હોય છે.

ઇજાગ્રસ્ત પક્ષી ખોરાક કે પાણી લેતું હોતું નથી. પક્ષીને ખોરાક કે પાણી આપવા અધીરા ન  બનો, પક્ષીને ઓછામાં ઓછું હેન્ડલ કરો.

પક્ષી ઉડયા સક્ષમ બને ત્યારે ફરી કુદરતમાં મુકત કરી દો.

ડો. એમ.જી. મારડીયા (મો. નં. ૯૬૨૪૦ ૩૨૦૦૦૯,

માનદ સલાહકાર:- શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઇન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.