Abtak Media Google News

મે એ જાણીને જરૂરથી ચોંકી જશો કે ફ્રિજમાં પડેલ 2-3 દિવસનું વાસી ખાવાનું તમને બિમાર પાડી શકે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે. ખાવાનું બનાવતી વખતે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને જો લાંબો સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે તો પેટની સમસ્યા થઇ શકે છે. તેને ખાવાથી તમારી પાચન ક્ષમતા ઓછી થઇ જાય છે. લાંબો સમય સ્ટોર કરવામાં આવેલા મીટને ખાવાથી પૈનક્રિયાટિક કેન્સર થવાની શક્યતા છે.

ખાવાનું બનાવ્યા પછી તુરંત તેને ખાવામાં આવે તો હાજર તમામ પોષક તત્વો શરીરને મળી રહે છે.

તેનાથી વિરૂદ્ધ જો આપણે ભોજનને લાંબો સમય ફ્રિજમાં સ્ટોર કરી રાખીએ તો તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. લાંબો સમય સુધી ફ્રિઝમાં રાખેલા ભોજનને ખાવાથી ગેસની સમસ્યા થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.