કુવા માંથી પાણી નીકળે એ વાત બધા જાણતા હોય છે. પરતું શું તમે ક્યારેય સાભળ્યું છે કે કુવામાંથી પ્રકાશ નીકતો હોય પોર્ટુગલના સિંતરા શહેરની પાસે ક્વિન્ટ ડો રીગલેરિયા મહેલમાં આ કૂવો આવેલ છે. આ રહસ્યમય કુવા વિશે ઓછા લોકો જાણે છે.આ કુવાને લેબીરિન્થીક ગ્રોટો પણ કહેવામાં આવે છે.આ કુવામાંથી સતત પ્રકાશ આવતો રહે છે. પરંતુ આ પ્રકાશ ક્યાથી આવે છે તે એક રહાસ્ય છે. આ કુવો જોવામાં ઉધા ટાવર જેવો દેખાય છે. કુવાના નીચલા ભાગમાં લાલ ક્રોસ નું નિસાન બનાવેલ છે. આ કુવાને જોવા માટે દુર દુર થી લોકો જોવા આવે છે. અહિયાંની એક માન્યતા મુજબ એવું કહેવાય છે. આ કૂવામાં જે લોકો સિક્કો નાખે છે. તેમની ઇચ્છાઓ પૂરી થાત છે.આ કારણોથી આ કૂવાને વીશિંગ વેલ કહેવામા આવે છે. આ કૂવાની ઉડાઇ ચાર માળના મકાન જેટલી છે. જે નીચે જતાં સાકડી થતી જાય છે. આ કૂવાની પાસે એક નાનો કૂવો પણ છે.આ બન્ને કૂવા એક સુરંગના મધ્યમથી એક બીજા સાથે જોડાયેલ છે.આ કૂવો જોવામાં ખુબજ સુંદર છે.આ કૂવામાં નીચે જવા માટે ચારેય તરફ ગેલેરી છે અને જેમાં સીડી પણ છે.આ કૂવાની અંદર કેટલી સુરંગો છે. જ્યારે આ સુરંગો માથી પ્રકાશ આવે છે ત્યારે આ કૂવાનો નજારો ખૂબ સુંદર લાગે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા