Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટનું એક સૂત્ર છે કે, માણસ સવારે ભલે ભૂખ્યો ઉઠ્યો હોય પરંતુ રાતે તે ભૂખ્યો સુવો ન જોઈએ

શહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે. જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને પોતાના ઘરે અથવા રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પણ એ વ્યક્તિ હોય ત્યાં નિઃશુલ્ક વાહન લઈને તેને ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે. તેમજ આ ભોજન તેને લાગણી સાથે નિસ્વાર્થ ભાવે પીરસવામાં આવે છે. જેના માટે ટ્રસ્ટ દ્વારા 10 જેટલા ડિલિવરી બોય રાખવામાં આવ્યા છે.

ખરા અર્થમાં ટ્રસ્ટ દ્વારા પોતાના આ સૂત્રને હાલ સાર્થક કરવામાં આવી રહ્યું છે. આ સિવાય જ્યારે પણ કુદરતી આફત અથવા કોઈ પણ સંસ્થાને જરૂર હોય તેવા સમયે બોલબાલા ટ્રસ્ટ દ્વારા અડધી રાત્રીએ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.