Abtak Media Google News

યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ માટે, ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરવામાં આવી છે. તેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે.

રામદેવે દાવો કર્યો છે કે આ ડ્રગના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. 100 જેટલા લોકો પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતા જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ તહી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.