Abtak Media Google News

ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સહિતના મહાનુભાવો રહ્યા  ઉ૫સ્થિત

રાજકોટ પંચનાથ મહાદેવ મંદીર ખાતે પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ અને સાંદીપની વિઘાનીકેતન પોરબંદરના સંયુકત ઉપક્રમે દિક્ષાંત સમારોહ અને આંખની હોસ્પિટલનો લોકાપર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રમેશભાઇ ઓઝા સહીત રાજકોટનો અગ્રણી શ્રેષ્ઠીઓ અને દાતાઓ ખાસ હાજર રહ્યા હતા.

દેવાંગ માંકડ ટ્રસ્ટી પંચનાથ મહાદેવ ટ્રસ્ટ અને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું  કે રાજકોટના પંચનાથ મહાદેવ મંદીર ખાતે પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ અને સાંદિયની વિઘાનીકેતન પોરબંદરના સંયુકત ઉપક્રમ પંચનાથ મંદીર ખાતે પંચનાથમાં જે નિ:શુલ્ક સંસ્કૃત પાઠશાળા ચાલે છે તેના દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રમેશભાઇ ઓઝા ઉ૫સ્થિત રહ્યા હતા. રાજકોટનાં તમામ અગ્રણી શ્રેષ્ઠીઓ અને દાતાઓ પણ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

ઉપરાંત દિક્ષાંત સમારોહની સાથો સાથ ગરીબો માટે નજીવા દરે સેવા આપતી આંખની હોસ્પિટલનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ આંખની હોસ્પિટલમાં મોતીયો, જામર, વેલ જેવા રોગોના ઓપરેશન પણ નજીવા દરે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.