Abtak Media Google News

પાડોશી યુવક-યુવતીને સમાજ નહી સ્વીકારે તેવી દહેશતથી પ્રેમિકાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું

તાલાલા તાબેના જશાપૂર ગીર ગામે રહેતા કોળી પ્રેમી પંખીડાએ પરિવારજનોને લગ્ન નહી કરાવી દેતા નાસીપાસ થઈ જઈ પ્રેમિકાનાં ઘરમાંજ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, જશાપૂર ગીર ગામે રહેતા કોળી યોગેશ ધનજીભાઈ સાંખટ અને પડોશમાં રહેતી ક્રિશ્ર્નાબેન ભીખાભાઈ રાઠોડ નામના કોળી યુવાન યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ અંગેની જાણ યુવતીના પરિવારજનોને થઈ હતી

અને યુવાન યોગેશના પરિવારે ક્રિશ્ર્નાના પરિવારજનો પાસે બંનેના લગ્નનો પ્રસ્તાવ કર્યો હતો. આથી ક્રિશ્ર્નાના પિતા ભીખાભાઈએ તેની મોટી પુત્રી કિરણના લગ્ન થઈ ગયા બાદ બંનેના લગ્ન કરી આપવાનું નકકી કર્યું હતુ. દરમિયાન ભીખાભાઈની પુત્રી કિરણના લગ્ન થઈ ગયા બદ પર વારંવાર વાયદા કરવામાં આવતા બંને નાસીપાસ થઈ ગયા હતા અને ક્રિશ્ર્નાએ પ્રેમી યોગેશને તેના ઘેર બોલાવ્યો અને બંનેના લગ્ન થશે નહી તેવું જણાવી ક્રિશ્ર્નાના ઘરમાં જ પંખામાં દોરડુ બાંધી સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ મૃતકના પરિવારજનો તથા પોલીસ દોડી ગયા હતા અને કોળી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.