Abtak Media Google News

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી પાર્થિવ દેહ મુંબઇ પહોચી ગયો છે.શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30 કલાકથી 12:30 વાગ્યા સુધી કરવામાં આવશે. શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવાર રાત્રે મુંબઇ પહોચ્યો હતો. મુંબઇ એરપોર્ટથી લઇ શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘર સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીદેવીના ફેન્સ પણ મોટી સંખ્યામાં તેના ઘરની બહાર જોવા મળ્યા હતા જેને લઇ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

લોખંડવાલા સ્થિત સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં સવારે 9:30 કલાકથી 12:30 કલાક સુધી શ્રીદેવીના અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે. સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ શ્રીદેવીના ઘરથી માત્ર 100 મીટરના અંતર પર છે.

બુધવાર બપોરે 3:30 કલાકે અંતિમ સંસ્કાર

  • શ્રીદેવીના પરિવાર તરફથી મંગળવારે જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ- આ ભાવુક ક્ષણમાં પરિવારનો સાથ આપવા માટે મીડિયાનો આભાર. શ્રીદેવીના અંતિમ સંસ્કાર 3:30 કલાકે વિલે પાર્લેના સ્મશાનઘાટમાં કરવામાં આવશે. બપોરે 2 કલાકે અંતિમ યાત્રા કાઢવામાં આવશે’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.