Abtak Media Google News

3 જાન્યુઆરીએ સજાની સુનવણી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને આજે ચારા કૌભાંડમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

સીબીઆઈ જજ શિલપાલ સિંહ યાદવે આ ચુકાદો સંભળાવ્યો છે. રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે.

લાલુ પ્રસાદ યાદવને દેવધર ટ્રેજડી કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવને સીધા કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને હવે 3 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.