Abtak Media Google News

૨૦૦૯ની ચૂંટણી સમયના આક્ષેપો કેમ ૨૦૧૮માં કરે છે?

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેરના પક્ષ છોડવા અંગે પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, કોઈ પોતાનો વ્યકિગત ર્સ્વા સાધવા માટે બીજાને બદનામ કરવાનો પ્રયાસ કરતો હોય છે.જે વ્યક્તિ પહેલાં કોંગ્રેસ, અપક્ષ, ભાજપઅને ફરીી ભાજપ છોડીને ત્રણ-ચાર વાર પક્ષપલટો કરે અને હવે તે ભાજપના અખંડ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે. તે હાસ્યાસ્પદ છે. ભાજપે તેમને ધારાસભ્ય બનાવ્યાં અને હવે ભાજપ સામે જૂઠ્ઠા આક્ષેપો કરે છે.

પંડયાએ જણાવ્યું હતું કે, સતત ૩૦ વર્ષી ભાજપની વિચારાધારા સો કામ કરનારો હું ભાજપનો અખંડ સૈનિક છું, મારા શરીર, મન, બુદ્ધિ અને આત્મા સાથે મારી સંપૂર્ણ શક્તિ માત્ર ભાજપની પ્રગતિ અને પ્રતિષ્ઠા માટે વાપરૂં છું. તે પાર્ટીના લાખો કાર્યકર્તાઓને ખબર છે.

પંડયાએ જણાવ્યું કે, મારે લાલજીભાઈ મેરને કશું વ્યક્તિગત કહેવું ની. એટલું યાદ કરાવું છું કે ૨૦૧૧માં કૈલાસ માનસરોવર ખાતે ૨૦૧૨ની ચુંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. આ અગાઉ ત્રણ-ચારચૂંટણીઓ હારી જનાર લાલજીભાઈને ૨૦૧૨માં જીતાડવા સંપૂર્ણ શક્તિથી કામ કર્યું હતું અને સૌ પ્રમવાર તેઓ જીત્યાં હતાં. હવે ૨૦૦૯ની ચુંટણી સમયના જૂઠ્ઠા આક્ષેપો છેક ૨૦૧૮માં કેમ કરે છે ? અને ભાજપ સરકારની શ્રેષ્ઠ કામગીરી બાબતે હવે જૂઠ્ઠા આક્ષેપો કેમ કરે છે ? તે સમજાતું ની. પરંતુ પાર્ટી છોડનારને દુ:ખે છે પેટ અને કૂટે છે મારૂ આ જનતા બધું જાણે છે.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ૧૦ વર્ષના ધારાસભ્યના સમયકાળમાં ધંધુકા મતવિસ્તારના લોકોની સેવામાં અને પંકના વિકાસમાં મારી યુવાની ખર્ચી નાખી હતી તે ધંધુકાની જનતા જાણે છે. ૨૦૦૭ પછી પ્રદેશ ભાજપમાં જે કામગીરી સોંપી તેમાં નિષ્ઠા, પરિશ્રમ અને સંપૂર્ણ સમય શક્તિથી કામ કરૂં છું એટલે તે ગુજરાતના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા જાણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.