વોર્ડ નં.૮નાં કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ અધેરા, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી એક સંયુકત યાદીમાં જણાવે છે કે, લક્ષ્મીનગર નાલાથી નાના મવા રોડ પર ખૂબજ વિકાસ થયેલ છે. અને રહેણાંક વેપારી વિસ્તાર પણ ખૂબજ છે. રોજ હજારો લોકો નાના મવા તરફથી લક્ષ્મીનગર નાલા નીચેથી આવન જાવન કરે છે. આ નાલુ ખૂબજ નાનું હોવાથી ટ્રાફીકની સમસ્યા તેમજ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાના કારણે આવન-જાવન માટે લોકોને ખૂબજ હાલાકી ભોગવવી પડે છે. હૈયાત નાલાની જગ્યાએ વ્યવસ્થિત અન્ડર બ્રીજ બને તે માટે વોર્ડના કોર્પોરેટર અને પદાધિકારીઓ પ્રયત્નશીલ હતા. ચાલુ વર્ષે પણ લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અન્ડર બ્રિજ બને તે માટે બજેટ જોગવાઈ કરવામાં આવેલ. જેના અનુસંધાને રેલવે વિભાગ તરફથી અન્ડર બ્રિજ બનાવવા માટે પ્રાથમિકચાર્જ પેટે રૂ.૨૯,૦૫.૭૧૬ ભરવા કોર્પોરેશનને જણાવેલ જેના અનુસંધાને આજરોજ સ્થાયી સમિતિ દ્વારા લક્ષ્મીનગર અન્ડર બ્રીજ બનાવવા માટે પ્રાથમિક ચાર્જ પેટે ભરવાની થતી રકમ ચૂકવવાનું મંજૂર કરવામાં આવેલ છે. ભવિષ્યમાં આ બ્રિજ બનતા નાના મવા મેઈન રોડ પર વસતા શહેરીજનોની હાલાકીમાં ખૂબજ રાહત મળશે તેમ અંતમાં કોર્પોરેટરએ જણાવેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા