Abtak Media Google News

રાજકોટના નાગર બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓના સ્નેહમિલનના કાર્યક્રમમાં એક સુરે અવાજ ઉઠેલો કે પ્રાચિનકાળથી નાગર સમાજ અને નાગર સમાજની મહિલાઓ હંમેશા માટે પ્રજાના ઉત્કર્ષ અને સમાજના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે. ત્યારે હાલના સમયમાં ભાગલા પાડો અને રાજ કરોની નિતીથી તેમજ જ્ઞાતિ, જાતિના વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરતા અને સમાજના વિકાસને રૂધતા પરિબળોને દૂર કરી નરેન્દ્રભાઈ મોદી તેમજ વિજયભાઈના વિકાસલક્ષી યજ્ઞમાં આપણે પ્રચંડ શક્તિથી સાથ સહકાર અને આહુતી આપીએ. કાર્યક્રમમાં અંજલીબહેન રૂપાણી હાજર રહ્યાં હતા. તેમણે ભાજપ શાસનમાં ગુજરાતી મહિલાઓનું નમૂનેદાર સશક્તિકરણ થયાનું જણાવતા કહ્યું હતું કે, ગુજરાતની સન્નારીઓ ફૂલ નહીં ચિનગારી હોવાનો અહેસાસ કોંગ્રેસને ચૂંટણીમાં થઈ જવાનોછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.