Abtak Media Google News

આવતીકાલે પાણીનો ઘોડેે, રણછોડનગર ખાતે કિર્તીદાન અને ધીરૂભાઈના લોકડાયરાની રંગત માણવા મળશે

આજીડેમ ખાતે નર્મદા નીરના વધામણા લોકોત્સવ અંતર્ગત આજે રાત્રે ૮:૩૦ કલાકે સોરઠીયા વાડી ખાતે યુવાનોના હૃદય સમ્રાટ બ્રીજરાજદાન ગઢવી, ધી‚ભાઈ સરવૈયા અને ઉર્વશીબેન રાદડિયા પ્રસ્તુત લોકડાયરો યોજાશે. જયારે આવતીકાલે પાણીનો ઘોડો, રણછોડનગર ખાતે કિર્તીદાન ગઢવી અને ધી‚ભાઈ સરવૈયાના લોકડાયરાની રંગત માણવા મળશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે ‘સૌની યોજના’ હેઠળ આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણાનો લોકોત્સવ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.૨૯ના રોજ થનાર છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૪ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે સોરઠીયા વાડી ખાતે યુવાહૈયાના હૃદય સમ્રાટ એવા ખ્યાતનામ કલાકારો બ્રીજરાજદાન ગઢવી, ધી‚ભાઈ સરવૈયા તથા ઉર્વશીબેન રાદડિયા પ્રસ્તુત લોકડાયરાનું શાનદાર આયોજન કરેલું છે.  આ લોકડાયરાનું દીપ પ્રાગટય ગુજરાત રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આવતીકાલે તા.૨૫ રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પાણીનો ઘોડો, રણછોડનગર ખાતે કીર્તિદાન ગઢવી અને ધી‚ભાઈ સરવૈયા પ્રસ્તુત લોકડાયરાનું ધમાકેદાર આયોજન કરેલ છે. આ લોકડાયરાનું દીપ પ્રાગટય પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, પાર્ટીના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.