Abtak Media Google News

વઢવાણ નગરપાલિકા આયોજીત લોકમેળાની શુભેચ્‍છા મુલાકાત લઇ શહેરીજનોને શાંતિમય વાતાવરણમાં મેળો મહાણવાની શુભેચ્‍છા પાઠવતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

ગુજરાત રાજયના પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વઢવાણ નગરપાલિકા આયોજીત લોકમેળાની આજરોજ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

Img 2385લોકમેળાની શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે વઢવાણ નગરપાલિકા આયોજીત લોકમેળો એ ખુબજ શાંતમય વાતાવરણમાં યોજાતો લોકમેળો રહેલ છે. તેમણે ઉત્‍સવપ્રિય ગ્રામ્‍ય વિસ્‍તાર તેમજ શહેરીજનોને મેળાનો ભરપુર આનંદ મહાણવા અનુરોધ કર્યો હતો. તેમણે લોકમેળામાં એકતા – સંપ અને ભાઈચારાની ભાવનાના દર્શન થયા હોવાનું જણાવી મેળા દરમિયાન દરેકે પોતાની જવાબદારી સમજી સ્‍વચ્‍છતા અને સંયમ જાળવે તે માટે પણ સુજ્ઞા નાગરિકોને આહવાન કર્યું હતું.

Img 2396

મંત્રીશ્રી બાવળીયાએ મેળામાં ઉભા કરવામાં આવેલ સ્‍ટોલની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલ સ્‍ટોલમાં આપવામાં આવતી વિગતોથી વાકેફ થયા હતાં.

Img 2390 1

આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી ધનજીભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી શંકરભાઇ વેગડ, અગ્રણી સર્વશ્રી ભોજરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ મોરી, મામલતદારશ્રી, નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ, અધિકારીશ્રીઓ- કર્મચારીઓ અને વિશાળ સંખ્‍યામાં ગ્રામ્‍ય વિસ્‍તારના નાગરિકો તથા શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.