Abtak Media Google News

આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ ગયેલા વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. મુંદ્રાના બેરાજા ગામના ગૌચરમાં વિમાન તૂટી પડતાં પાંચ ગાયોના મોત નિપજ્યા હતા. જોકે, સદનસીબે વિમાનના પાઇલટનો બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં એરફોર્સના અધિકારીઓ દોડી ગયા

બેરજાની સીમમાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યાની ઘટનાની જાણ થતાં જામનગર એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે ગૌચરમાં ગાયો ચરી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.