Abtak Media Google News

કોમેડી નાઈટ લાઈવ બંધ થયા પછી કૃષ્ણા અભિષેક એક પાછો તેમની દરમાં કંપની લઈને આવી રહ્યો છે. કૃષ્ણા નો આ નવો શો જલ્દી જ દસ્તક દેશે. આ શોમાં કૃષ્ણા ની સાથે કપિલના જૂના સાથીદરો સુનિલ ગ્રોવર , અલી અસગર, સુગંધા મિશ્રા અને ડો. સાંકેત ભોસલે પણ છે. કપિલ અને સુનિલના ઝઘડા પછી કપિલના શોને ઘણું નુકશાન થયું છે. એટલું જ નહીં કપિલ તેમનો શો પણ તેમના હાથ માથી જતો માંડ બચ્યો છે. ક્રુષ્ણ નો આ શો 15 જુલાઈએ ટીવી પર પ્રશરિત થશે.

Krishna Kapilએક ઇન્ટરવ્યૂ દરમ્યાન ક્રુષ્ણ એ કહ્યું હતું કે તે અને કપિલ ટીવી ઈન્ડસ્ટ્રી ના શાહરુખ ખાન અને સલમાન ખાન છે. પરંતુ આ બને સુપરસ્ટારની જેમ તેમનામા દોસ્તી નથી. વઘુમાં ક્રુષ્ણ એ જણાવ્યુ હતું કે તે એ દિવસ ની રાહ જોવે છે જ્યારે તે અને કપિલ એક સાથે કામ કરશે.

સુનિલ અને કપિલના ઝઘડા પછી કપિલ શર્માના શો ને નજર લાગી ગઈ હોય તેમ લાગે છે હવે ક્રુષ્ણ તેની ડ્રામા કંપની લઈને આવી રહ્યો છે. જેમનું કોમ્પિટિશન કલર્સ ની ખતરો કે ખિલાડી સાથે થશે. ક્રુષ્ણ ના શોમાં કપિલના જૂના સાથીદારો સાથે મિથુન ચક્રવર્તી પણ જોવા મળશે.

બધા ક્રુષ્ણ ના આ શોની રાહ જોઈને બેઠા શું ક્રુષ્ણ નો આ શો કપિલના શો ને ટક્કર દઈ શકશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.