Abtak Media Google News

ગો.૧૦૮ મધુસુદનલાલજી મહોદય રસપાન કરાવશે: સૌ ભાવિક વૈષ્ણવોને લાભ લેવા અનુરોધ.

વલ્લભાચાર્ય ફાઉન્ડેશન પૂર્વ ઝોનના આંગણે પૂ. ગો. ગોવિંદરાયજી મહારાજની પ્રેરણાથી પૂ.ગો.૧૦૮ મધુસુદનલાલજી મહોદયની અધ્યક્ષતામાં તા.૧૧ થી ૧૩ સુધી ત્રિદિવસીય શ્રી કૃષ્ણ ચરિત્રામૃત રસપાનનું આયોજન કરવામા આવ્યું છે.

કાર્યક્રમ અંગે માહિતી આપવા માટે આયોજકોએ નઅબતકથની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુંં હતુ કે, વલ્લભાચાર્ય ફાઉન્ડેશનપ છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક અને સામાજીક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

તે અંતર્ગત તા.૧૧ થી ૧૩ને શુક્રવારથી રવિવાર સુધી ત્રિદિવસ દરરોજ બપોરે ૩ થી ૭ વાગ્યા સુધી અટલ બિહારી બાજપાઈ હોલ, સેટેલાઈટ ચોક,પેડક રોડ રાજકોટ ખાતે વકતા ગો.મધુસુદનલાલજી મહોદય કૃષ્ણ ચરિત્રામૃત રસપાન કરાવશે.

તા.૧૧ ને શુક્રવારના રોજ વધાઈ કીર્તન બાદ કૃષ્ણ જન્મ પ્રકરણ બાલલીલા તા.૧૨ ને શનિવારે ગોવર્ધન લીલા, યમુનાજી ચરિત્ર, ગીરીરાજનું ચરિત્ર, તા.૧૩ને રવિવારના રોજ ઉધ્ધવચરિત્ર સહિતના પ્રસંગો ઉજવાશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ ભેસણીયા, સુરેશભાઈ રૈયાણી, હર્ષદભાઈ જોગી, ઉદયભાઈ માંડલીયા, ભુપતભાઈ સદાણી, કેતનભાઈ પિત્રોડા, ગોપાલભાઈ ઉંધાડ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

સર્વે ભાવિક વૈષ્ણવોને લાભ લેવા વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે મો. ૯૩૭૪૫૭૧૪૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.